Jamnagar News/ જામનગરના ધ્રોલમાં પુત્ર પ્રાપ્તિના વિયોગમાં પરિણીતાનો આપઘાત

પોતાના ઘેર પતરાના એંગલમાં દોરડું બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો

Gujarat Others

Jamnagar News : જામનગરમાં જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં  વાડીમાં  ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ વાઘેલા નામની 23 વર્ષની ભીલ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પતરાના એંગલમાં દોરડું બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના પતિ અશોક કાનાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે  ધ્રોલ પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક મધુબેનને અગાઉ બે વખત કસુવાવડ થઈ ગઈ હતી અને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી તેના વિયોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Surat News/સુરતમાં વધુ એક ડોક્ટરે કર્યો આપઘાત, 9માં માળેથી નીચે ઝંપલાવ્યું

Gujarat News/ગુજરાતમાં 25 દિવસમાં આર્થિક સંકડામણના કારણે 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર

Rajkot News/રાજકોટમાં માતાએ બે દીકરીને ગળેફાંસો આપી કર્યો આપઘાત, કારણ હજુ પણ અકબંધ