- 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિતપ્રદેશમાં ચૂંટણીનું એલાન
- તમામ રાજ્યોમાં 2 મેએ પરિણામ
- કેરળમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી
- કેરળમાં 1 તબક્કામાં યોજાશે ચૂંટણી
- પુડુચેરીમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી
- પુડુચેરીમાં 1 તબક્કામાં યોજાશે મતદાન
- પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી
- પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન
- તમિલનાડુમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી
- તમિલનાડુમાં 1 તબક્કામાં યોજાશે મતદાન
- આસામમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી
- આસામમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું શિડ્યુલ જાહેર કરવામાં આવી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં તારીખોની ઘોષણા કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, દેશનાં 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખનું એલાન કરી દીધુ છે. જણાવી દઇએ કે, કેરળમાં 6 એપ્રિલનાં રોજ 1 તબક્કામાં, પુડ્ડુચેરીમાં 6 એપ્રિલનાં રોજ 1 તબક્કામાં, પશ્ચિમ બંગાળમાં 27 માર્ચનાં રોજથી 8 તબક્કામાં, તમિલનાડુમાં 6 એપ્રિલનાં રોજ 1 તબક્કામાં અને આસામમાં 27 માર્ચનાં રોજથી 3 તબક્કામાં ચૂંટણી યોજાશે.

1) પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનાં મતદાન 27 માર્ચે યોજાશે. તમામ તબક્કામાં નીચેની તારીખે ચૂંટણી યોજાશે. તમામ તબક્કાઓની મતગણતરી 2 મે નાં રોજ એક જ તારીખે થશે.
પ્રથમ તબક્કામાં 38 બેઠકો
મતદાન 27 માર્ચ
બીજા તબક્કાની 30 બેઠક
મતદાન 1 એપ્રિલ
ત્રીજો તબક્કો 31 બેઠક
મતદાન 6 એપ્રિલ
ચોથો તબક્કો 44 બેઠક
મતદાન 10 એપ્રિલ
પાંચમા તબક્કાની 45 બેઠક
મતદાન 17 એપ્રિલ
છઠ્ઠા તબક્કામાં 43 બેઠક
મતદાન 22 એપ્રિલ
સાતમાં તબક્કામાં 36 બેઠક
મતદાન 26 એપ્રિલ
આઠમો તબક્કો 35 બેઠક
મતદાન 29 એપ્રિલ
2) પુડ્ડુચેરી
પુડ્ડુચેરીમાં પણ 6 એપ્રિલનાં રોજ મતદાન યોજાશે.
3) તમિલનાડુ
તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન યાજેશે.
4) કેરળ
કેરળનાં તમામ 14 જિલ્લામાં, સમાન તબક્કાની ચૂંટણી, જાહેરનામું 12 માર્ચ અને ચૂંટણીની તારીખ 6 એપ્રિલ હશે.
5) આસામ
આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાશે, પ્રથમ તબક્કાની ચૂંટણીઓ 27 માર્ચે યોજાશે, બીજા તબક્કાની ચૂંટણી 1 એપ્રિલે અને ત્રીજા તબક્કાની ચૂંટણી 6 એપ્રિલે યોજાશે.

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાવાની છે. પાંચ રાજ્યોમાંથી એક રાજ્ય આસામમા ભાજપની સરકાર છે. વળી ગત સપ્તાહે કોંગ્રેસની સરકાર પડી જવાનાં કારણે પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ ચૂંટણી દરમિયાન કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં 2.7 લાખ મતદાન મથકો પર 18.68 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
A total of 824 assembly constituencies shall be going for polls during these elections. 18.68 crore electors will cast vote at 2.7 lakh polling stations in Tamil Nadu, West Bengal, Kerala, Assam and Puducherry: CEC pic.twitter.com/VAh881jmTN
— ANI (@ANI) February 26, 2021
આગામી કેટલાક મહિનામાં દેશનાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે ચૂંટણી પંચ આજે તારીખોની ઘોષણા કરી રહ્યું છે. ચૂંટણી પંચ તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરી માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આ રાજ્યોમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. કોરોના વચ્ચે બિહારની ચૂંટણી બાદ એક સાથે ઘણા બધા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળની 294, તામિલનાડુમાં 234, કેરળની 140, આસામની 126 અને પુડ્ડુચેરીની 30 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં, સીએમ મમતા બેનર્જીની પ્રતિષ્ઠા દાવ પર રહેશે, જ્યારે આસામમાં, ભાજપ તેની પ્રથમ બહુમતીવાળી સરકારને બચાવવા ચૂંટણીમાં ઉતરશે. તમિળનાડુમાં મુખ્ય મુકાબલો સત્તાધારી એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે રહેશે. જયલલિતા અને કે.કે.ની આ પહેલી ચૂંટણી હશે. ચૂંટણી કરુણાનિધિની ગેરહાજરીમાં યોજાશે. કોંગ્રેસ સરકાર કેન્દ્રશાસિત પ્રદેશો પુડ્ડુચેરીમાં તાજેતરમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ ગયા પછી પડી છે.
#WATCH LIVE: Election Commission of India announces poll schedule for 4 States, 1 UT https://t.co/ARX0jAnE6s
— ANI (@ANI) February 26, 2021
છેલ્લા કેટલાક વર્ષોમાં, ભાજપે અહીં ઝડપી પ્રવેશ કર્યો છે અને મુખ્ય મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને ડીએમકે વચ્ચે જોવા મળી શકે છે. પુડ્ડુચેરીની રાજનીતિ સામાન્ય રીતે તમિળનાડુથી પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં, ડીએમકે પણ અહીં એક મોટો પરિબળ હશે. ખેડૂત આંદોલનનાં યુગમાં યોજાનારી આ ચૂંટણીઓ પણ મોદી સરકારની કસોટી તરીકે જોવામાં આવી રહી છે. જો આ ચૂંટણીઓમાં ભાજપને આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સફળતા મળે છે, તો તે તેના માટે મોટી સફળતા હશે. આપને જણાવી દઈએ કે, 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તે મમતા બેનર્જી સામે સખત પડકાર રજૂ કરી શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
