કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ છે. લોકો આને ટાળવા માટે ઘણી રીતો અપનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની સૌથી આરોગ્ય વીમા પોલિસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea – Vi) મોબાઇલ રિચાર્જ કરવા પર આરોગ્ય વીમાનો લાભ આપી રહી છે. કંપનીના આ રિચાર્જ પ્લાનમાં માત્ર 51 રૂપિયા અને 301 રૂપિયાના રિચાર્જ બાદ કોરોનાવાયરસ રોગચાળા જેવી અન્ય બીજી બીમારીઓ આવરી લેવામાં આવી રહી છે. વોડાફોન આઈડિયાએ તેના યૂઝર્સોને આરોગ્ય વીમાનો લાભ આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરી છે.

સસ્તામાં ખરીદો 1.5 ટનનું સ્પ્લિટ AC, ડિસ્કાઉન્ટ બાદ મળશે તમારા બજેટમાં..
આ પ્લાન હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પર કંપની દરરોજ 1000 રૂપિયા આપી રહી છે, જેમાં કોરોના વાયરસ જેવા રોગચાળો સામેલ છે. આ સમયે, આઇસીયુ સારવાર માટે દરરોજ 2 હજાર રૂપિયા આપશે.
વીઆઇ હોસ્પિકેર (Vi Hospicare)યોજના હેઠળ કંપની ગ્રાહકોને 51 રુપિયા અને 301 ના રિચાર્જ પર આરોગ્ય વીમો મફત આપી રહી છે. આ નવી ઓફર હેઠળ બંને કંપની હજી સુધી કોઈપણ વીમા યોજનાનો ભાગ ન બન્યા હોય તેવા લોકોને આરોગ્ય વીમા કવર આપવાની યોજના બનાવી રહી છે.

વોડાફોન આઈડિયા પ્રીપેડ યૂઝર્સને Vi Hospicare સ્કીમ હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પર કવર આપવામાં આવે છે. કંપની તેના યૂઝર્સોને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવા માટે દરરોજ 1000 રૂપિયા આપે છે. આઈસીયુ સારવાર માટે દરરોજ 2 હજાર રૂપિયાનું કવર પૂરું પાડે છે.

51 રુપિયા અને 301 રૂપિયાનો પ્લાન
કંપનીના 51 રૂપિયાના પ્લાનમાં ફક્ત એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ સાથે ગ્રાહકોને 500 એસએમએસ પણ મફત મળે છે. બીજા લાભ તરીકે હોસ્પીકેર સુવિધા તેમાં ઉપલબ્ધ છે. કંપની 301 રૂપિયામાં અનલિમિટેડ પેક આપી રહી છે. આમાં, ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 જીબી ડેટા, 100 એસએમએસ મફત આપવામાં આવે છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.
