ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘરની બહાર મળી આવેલા વિસ્ફોટક ભરેલી કાર કેસની તપાસ માટે મુંબઈ આવતાની સાથે જ NIA ની ટીમે પૂછપરછ શરૂ કરી છે અને દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, NIA ની ટીમના અધિકારીઓ મંગળવાર પહેલા વર્લીના IPS અધિકારીઓના મેસના ઓરડા નંબર 401 માં ઇન્ફોર્મર્સને મળ્યા હતા. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ભરત શાહ વિરુદ્ધ મકોકા કેસમાં મુખ્ય સાક્ષી રહેલા ઓમર મન્સૂરીને રવિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી અનેક પ્રકારની માહિતી મેળવવામાં આવી હતી. મન્સૂરને સોમવારે આવવાનું પણ કહેવામાં આવ્યું હતું. અગાઉ અહીં વધુ બે ઇન્ફોર્મર્સને બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પછી NIA ની ટીમ મંગળવારે મુંબઇ પહોંચી હતી. IG (ઇન્સ્પેક્ટર જનરલ) કક્ષાના અધિકારીઓ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટીમે વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો લઈને અંબાણીના ઘરની બહાર નીકળતી ઇનોવાની તપાસમાં ઘણું જાણ્યું છે. મંગળવારે NIA ની ટીમ મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયા પહોંચી હતી. આ ટીમના અધિકારીઓએ ત્યાં સુરક્ષા ગાર્ડ અને અધિકારીઓની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : પહેલાથી વધુ ઘાતક છે ઇન્ડિયન નેવીની સબમરીન, ચીન- પાકિસ્તાનના ઉડી જશે હોશ
વિવિધ સ્થળોએ દરોડા, જુદી જુદી પૂછપરછ
NIA ની ટીમે એન્ટિલિયાના સીસીટીવી ફૂટેજની નકલ પણ લીધી છે. એન્ટિલિયા ગયેલી આ ટીમને ગામ દેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સમર્થન આપી રહ્યા હતા. તેમની સાથે ડીસીપી રાજીવ જૈન પણ હતા. અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મળી આવવાના મામલે ગામ દેવી પોલીસ સ્ટેશનમાં પ્રથમ એફઆઈઆર નોંધાઈ હતી. આ પછી, આ કેસ મુંબઇ એટીએસને સોંપાયો હતો અને સોમવારે કેન્દ્ર સરકારે આ કેસ NIA ને આપ્યો હતો. રાજીવ જૈન છે જેણે NIA ને આ સંદર્ભમાં બધી વિગતો જણાવી છે.
આ પણ વાંચો : બજેટ સત્ર દરમિયાન ભાવુક થયા CM મનોહરલાલ ખટ્ટર, જાણો શું છે કારણ
NIA ની ટીમે મુંબઈ પોલીસ કમિશનરને મળી
દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયાથી નીકયા બાદ પછી, NIA ની ટીમ મુંબઈ પોલીસ હેડ કવાર્ટર ગઈ હતી અને જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારબે ને મળી હતી. ત્યારબાદ તે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને મળી. આ મામલે મુંબઇ પોલીસની ટીમે 2 હજારથી વધુ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. મંગળવારે ક્રાઇમ બ્રાંચના સીઈયુ વિભાગના વડા સચિન વાજેને પણ ત્રણ વખત મુંબઈ પોલીસ કમિશનર કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા. સચિન વાજે પર વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસ સાથે સંબંધિત વિસ્ફોટક સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે, અને તેમને જલ્દી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી કાર મળી હોવાના કેસમાં ત્રણ કેસ નોંધાયા છે. એક કેસ વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોનો છે. NIA આ અંગે તપાસ કરી રહી છે. બીજો કેસ સ્કોર્પિયોની ચોરીનો છે. જેની નોંધણી કારના માલિક મનસુખ હિરેન દ્વારા કરવામાં આવી હતી. ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનાં મોતનો છે. આ કેસમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઇ એટીએસ તેની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : સાંસદનું ‘cheeky’ વર્તન, મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા જોવા મળ્યા આ નેતા, વીડિયો થયો વાયરલ
