સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના કેસે વેગ પકડ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૩ લાખને પાર પહોચી ચુકી છે. રાજ્યમાં નોધાયા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2270 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,00,866 ઉપર પહોચ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
અમદાવાદ શહેરમાં નવા 607 કેસ , સુરતમાં શહેરમાં નવા 611 કેસ, વડોદરામાં શહેરમાં નવા 202 કેસ , રાજકોટ શહેરમાં નવા 159 કેસ, જામનગર શહેરમાં નવા 24 કેસ, ભાવનગર શહેરમાં 28 નવા કેસ નોંધાયા છે.