ઉત્તર પ્રદેશમાં કોરોનાનાં વધતા જતા કેસોને જોતા યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. મેડિકલ અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓ પણ હવે કોરોના દર્દીઓની સારવાર કરશે. આ સાથે, સરકારે કોરોના સાથે યુદ્ધમાં રોકાયેલા તમામ આરોગ્ય કર્મચારીઓનું મનોબળ વધારવાની સાથે સાથે માનદ વધારવાનો નિર્ણય કર્યો છે.
સંકટનાં વાદળ / રાજધાનીમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, દિલ્હી સરકારે માંગી સેનાની મદદ
સરકાર મેડિકલથી લઈને પેરા-મેડિકલ સુધીનાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને વિશેષ પેકેજ આપશે અને કોરોનાની લડાઇમાં ઉતારશે. કોરોના સામેના યુદ્ધમાં, તે સરકારનો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી, તબીબી વિદ્યાર્થીઓને કોરોના દર્દીઓની સારવારમાં શામેલ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. યુપીમાં દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ બાદ પણ દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 એપ્રિલનાં રોજ, જ્યારે 1,86,000 હતા, વળી 38 હજાર ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા. હવે રવિવારે રેકોર્ડ 2 લાખ 97 હજાર ટેસ્ટ કરાયા હતા, જ્યારે ચેપગ્રસ્ત દર્દીઓ ઘટીને 30 હજાર સામે આવ્યા હતા. માહિતી અનુસાર, કોવિડ ટેસ્ટનાં પ્રમાણમાં, સંક્રમણ જે અગાઉ 22 ટકા હતો, દસ દિવસમાં, સંક્રમણ અડધાથી ઘટીને 10 ટકા પર પહોંચી ગયો છે.
સીઝફાયર કરારનું ઉલ્લંઘન / જમ્મુ કાશ્મીરના સામ્બા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયો, કોઈ જાનહાની નહીં
રાજ્યમાં કોરોનાનાં કેરને પહોંચી વળવા શુક્રવાર સાંજથી મંગળવાર સવાર સુધી યુપીમાં સખત લોકડાઉન લાગુ કરાયું હતું. જેને હવે ગુરુવાર સવાર સુધી વધારવામાં આવ્યુ છે. સંક્રમણ અટકાવવા માટે યોગી સરકારે બે દિવસ એટલે કે ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધ લંબાવી દીધો છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ પર કોઈ અસર નહીં થાય. આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો પ્રકોપ આજે પણ યથાવત છે. આને કારણે રાજ્ય સરકારે અગાઉ વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ સોમવાર સુધી તેમાં વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે શુક્રવારે સાંજથી મંગળવારની સવાર સુધી લોકડાઉન હતુ.

