રાજ્યમાં કોરોના વાઇરસને નાથવા માટે રસીકારણ પ્રક્રિયાને વેગ આપવા માટે પુરતી તૈયારીઓ થઈ ચુકી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જણાવ્યા અનુસાર હવે રાજ્યમાં ૧૮ થી ૪૪ ની વાય જૂથના લોકોનું રોજના ૧ લાખ લોકોનું વેક્સીનેશન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી એ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોના થી સુરક્ષિત રાખવાના આરોગ્ય વિભાગને એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.
ત્યારે આ બધા વચ્ચે હવે થી આ વયજૂથના લોકોએ ઓન લાઈન નોધણી નહિ ક્રાવ્વીપેડા તેવા સમાચારો વહેતા થયા હતા. તો રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.