રાજ્યમાં હાલ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તમામ પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂંક પત્ર આપવામાં આવે છે. ખેડા જિલ્લાના 99 શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઈન રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પસંદ થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમ જ શિક્ષકોના પરિવારજનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
શિક્ષકોની નિમણૂંકપત્રોની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ઓફલાઇન શિક્ષણ શક્ય ન હોવાથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવ્યુ છે. આથી બાળકોના ભવિષ્ય પર અસર ન પડે, વાલીઓ મૂંઝવણમુક્ત બને અને શિક્ષકે બાળકનું સારા ભાવિનો પાયો નાખનારા ભગવાન સમાન ગુરૂ છે. આપણે પહેલાનો દરજ્જો આપણે હંમેશા શિક્ષકને આપ્યો છે. હાલના સમયમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષથી માસ પ્રમોશન મળી રહ્યુ છે. જેની નોંધ સૌ શિક્ષકમિત્રો લે અને વિદ્યાર્થી કોઈ માહિતીથી વંચિત ન રહે અને સારૂ શિક્ષણ કાર્ય આ સમયમાં તેમને મળે. કારણ કે, આજનું બાળક ભવિષ્યનું ભારત છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ વિડીયો કોન્ફરન્સની મારફતે પોતાના પ્રતિભાવ આપ્યો હતો.ખેડા જિલ્લામાં 99 જેટલા નવનિયુકત શિક્ષકોને નિમણૂકપત્રો નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.