મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે જેમાં શહેરની ૨૦૧ બાંઘકામ સાઇટ અને ૧૪૦ હોસ્પિટલમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળી આવતા ૧૫૨ બાંઘકામ સાઇટ અને ૯૯ હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.
હાલ ચોમાસું નજીક હોય વરસાદી વાતાવરણ અને ભેજ ભર્યા માહોલમાં મચ્છરો વઘુ સક્રિય થઈ જાય છે. ખાસ કરીને બાંઘકામ સાઇટ કે જયાં મોટા ભાગે ઓછા પ્રકાશવાળા અને વધારે ભેજવાળા વાતાવરણમાં મચ્છર ઉત્પતિ માટે આદર્શ માહોલ પુરો પાડે છે. ખાસ કરીને બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા તથા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં તથા હોસ્પિટલ ખાતે અગાસી તથા પ્રિમાઇસીમાં પડેલ બિનજરૂરી ભંગાર, સુશોભન માટે રાખેલ ફુલછોડ વગેરેમાં મેલેરિયા તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે.
મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી બાંઘકામ સાઇટો તથા હોસ્પિટલોનું ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારોમાંથી કૂલ – ૨૦૧ બાંઘકામ સાઇટ તથા કૂલ – ૧૪૦ હોસ્પિટલોની મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત લઇ ૧૫૨ બાંઘકામ સાઇટ તથા ૯૯ હોસ્પિટલોએ મચ્છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ છે.