મહીસાગર,
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં હત્યાની ઘટના બની હતી. પ્રેમીને ઘરે બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્ની દ્વારા હત્યા કરાઈ. વેણા ગામે આડા સંબંધની આડમાં ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશને રસ્તા પર ફેંકી દેતા ચકચાર મચી હતી.
વેણા ગામના રહીશ રમેશભાઈ નાયકની પત્ની સાથે પ્રેમ સંબંધમાં રાયસિંગભાઈ કટારાને રાત્રીના સમયે પોતાના ઘરે બોલાવી હત્યા કરાઇ.
સંતરામપુર પોલીસ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકલ્યો. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.