છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં કોરોનાવાયરસ સંક્રમણનાં 39,070 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 43,910 દર્દીઓ કોવિડ-19 થી ઠીક પણ થયા છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 3 કરોડ, 10 લાખ, 99 હજાર, 771 લોકો આ રોગચાળામાંથી ઠીક થયા છે.
India reports 39,070 new #COVID19 cases, 43,910 recoveries & 491 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,19,34,455
Active cases: 4,06,822
Total recoveries: 3,10,99,771
Death toll: 4,27,862Total vaccination: 50,68,10,492 (55,91,657 in last 24 hrs) pic.twitter.com/KXEMzbPEdy
— ANI (@ANI) August 8, 2021
આ પણ વાંચો – મોટી કાર્યવાહી / પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલાના સંદર્ભમાં 20 લોકોની ધરપકડ,150 થી વધુ લોકો સામે કેસ દાખલ
છેલ્લા 24 કલાક દરમ્યાન, 43,910 લોકો સ્વસ્થ થયા છે અને ઘરે પરત ફર્યા છે, જે ડિસ્ચાર્જની કુલ સંખ્યા 3,10,99,771 પર લઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 4,06,822 છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 55,91,657 રસીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 50,68,10,492 હતો. દેશમાં રિકવરી રેટ 97.39% છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.27% છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 13 દિવસોથી આજે દૈનિક પોઝિટિવિટી રેટ 3% કરતા ઓછો છે. ભલે દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ દરેક વ્યક્તિએ સજાગ રહેવાની ખૂબ જરૂર છે. AIIMS નાં અધ્યક્ષ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ‘ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર Inevitable છે, અને તે આવતા મહિને દેશ પર આવી શકે છે, તેથી દરેકને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે થોડી બેદરકારી ફરી ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે.’
India’s cumulative #COVID19 vaccination coverage has exceeded 50.68 Cr. A total of 55,91,657 vaccine doses were administered in the last 24 hours, as per the 7 am provisional report today: Union Health Ministry
(File pic) pic.twitter.com/ujF74vY4qZ
— ANI (@ANI) August 8, 2021
આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું
અત્યાર સુધીમાં દેશભરમાં કુલ કોવિડ-19 નાં 48 કરોડ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. કોરોનાવાયરસ રોગચાળા સામે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત લોકોને અત્યાર સુધીમાં કુલ 50.68 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આમાંથી કેટલાકને ડબલ ડોઝ તરીકે અને કેટલાકને સિંગલ ડોઝ તરીકે લેવામાં આવ્યા છે. કોરોનાની સાથે, ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો શુક્રવારે 30 ડેલ્ટા વેરિએન્ટ કેસ મળ્યા બાદ હંગામો મચાવ્યો હતો, તે પહેલા મહારાષ્ટ્રનાં પુણેમાં પણ બે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ દર્દીઓ મળી આવ્યા હતા. વારંવાર હાથ ધોવા અને કોવિડ પ્રોટોકોલનું સતત પાલન કરવું.
