સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે આ જાણકારી આપી. તે જ સમયે, રજનીકાંતની ટીમના જણાવ્યા અનુસાર, તેમને તેમના રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રજનીકાંતને ગુરુવારે સાંજે 4.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રજનીકાંત છેલ્લે 27 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયા બાદ તેઓ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળ્યા હતા.
અગાઉ ડિસેમ્બર 2020 માં, 70 વર્ષીય ફિલ્મ અભિનેતાને બ્લડ પ્રેશરમાં વધઘટને કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતા છેલ્લા 10 દિવસથી હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યાં હતા. તે સમયે તેને બે દિવસમાં રજા આપવામાં આવી હતી. સેટ પરના કેટલાક લોકો કોવિડ-19થી સંક્રમિત થયા બાદ તેઓ ક્વોરેન્ટાઇનમાં ગયા હતા. જો કે, 70 વર્ષીય અભિનેતામાં ચેપની પુષ્ટિ થઈ નથી.
Actor Rajinikanth has been admitted to Kauvery Hospital in Chennai, says the hospital. pic.twitter.com/ONK6w0icrt
— ANI (@ANI) October 28, 2021
સ્વાસ્થ્યના કારણે રાજકારણથી દૂર રહ્યા
ગયા વર્ષે ડિસેમ્બરમાં રજનીકાંતની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 70 વર્ષના રજની બ્લડ પ્રેશરમાં વધઘટ અને થાકની ફરિયાદ કરતી હતી. નાદુરસ્ત તબિયતને કારણે તેણે ગયા વર્ષે રાજકારણમાં આવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. તેઓ પોંગલ પર પોતાની પાર્ટી શરૂ કરવાના હતા પરંતુ એવું બન્યું નહીં.
રજનીએ કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ હોવા છતાં તેઓ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરીને બહાદુરી બતાવવા માંગતા નથી. તે પોતાના સમર્થકોને પણ નારાજ કરવા માંગતા નથી. એમ પણ કહ્યું- આ નિર્ણય ફેન્સને નિરાશ કરશે, પરંતુ મને માફ કરો.
‘ખેલ રત્ન’ એવોર્ડ / મિતાલી રાજ પ્રથમ મહિલા ક્રિકેટર છે, જેને રમતગમતનું સર્વોચ્ચ સન્માન મળશે
આર્યન ખાન ડ્રગ્સ કેસ / આર્યનને આ શરતો સ્વીકારવી પડશેઃ નહિ તો જામીન રદ થઈ શકે છે
શું આ શક્ય બનશે ? / આ શહેરને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવાશે
