NCP નેતા નવાબ મલિકે દિવાળીના દિવસે ફરી એકવાર ટ્વિટ કર્યું છે. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર સતત ગંભીર આરોપો લગાવી રહેલા મલિકે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “ન તો ખંજર ઉઠશે, ન તલવાર, આ હથિયારો મારી અજમાયશ છે! જો કે નવાબ મલિકના આ ટ્વીટથી તેઓ કઈ દિશામાં ઈશારો કરી રહ્યા છે તે જાણી શકાયું નથી, પરંતુ લોકોમાં ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે. અગાઉ દિવાળીના અવસર પર મલિકે લોકોને શુભેચ્છા પાઠવી છે.
બુધવારે પણ મલિકે એક રસપ્રદ ટ્વીટ કર્યું હતું, જેના કારણે લોકોમાં અટકળો ચાલી રહી છે. મલિકે ટ્વીટમાં લખ્યું, હોટેલ ધ લલિતમાં ઘણા રહસ્ય છુપાયેલા છે, રવિવારે મળીશું. પોતાના ટ્વીટમાં મલિકે લખ્યું, હેપ્પી દિવાળી. આપ સૌને દિવાળીની શુભકામનાઓ. હોટેલ ધ લલિતમાં ઘણા રહસ્યો છુપાયેલા છે…રવિવારે મળીશું. મલિકના આ ટ્વીટ પછી હવે બધા રવિવારની રાહ જોઈ રહ્યા છે કે મલિક આખરે ધ લલિત હોટેલમાં એવું શું બન્યું કે તે એક્સપોઝ કરવાના છે.હાલ તો અટકળોનો બજાર ચેજ થઇ ગયો છે.
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. બોલિવૂડ પર નિશાન સાધવાથી લઈને નવાબ મલિકે NCB પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. સમીર વાનખેડે અને તેની વચ્ચે લાંબા સમયથી વળતો હુમલો થયો છે. સમીર વાનખેડેની પત્ની અને બહેન પણ સતત મલિકને નિશાન બનાવી રહી છે. આ મુદ્દે મહારાષ્ટ્રનું રાજકારણ ક્યાં વળાંક લે છે તે જોવું રહ્યું.