કર્ણાટક અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે શાળાના વિદ્યાર્થીઓને કેસરી શાલ, સ્કાર્ફ, હિજાબ અથવા ધાર્મિક ધ્વજ અને વર્ગખંડની અંદર સમાન કંઈપણ આગામી આદેશ સુધી પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિભાગે આગામી આદેશો સુધી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. બીજી તરફ, હિજાબ પ્રતિબંધ સામે લડતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટને અપીલ કરી હતી કે તેઓને ઓછામાં ઓછા શુક્રવાર અને રમઝાન મહિના દરમિયાન હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવે.
મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો હતો કે હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ પવિત્ર કુરાન પર પ્રતિબંધ મૂકવા સમાન છે. હાઈકોર્ટે, તેના વચગાળાના આદેશમાં, ગયા અઠવાડિયે તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર કેસરી શાલ, સ્કાર્ફ, હિજાબ અને કોઈપણ ધાર્મિક ધ્વજ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, હિજાબ વિવાદ સંબંધિત તમામ અરજીઓ પર વિચારણા બાકી હતી.
Karnataka Minority Welfare Department restrains students of schools under the Dept from wearing saffron shawls, scarfs, hijab, religious flags or similar inside classrooms until further orders pic.twitter.com/xPjfR74Np6
— ANI (@ANI) February 17, 2022
જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જે. એમ. કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની હાઈકોર્ટની ફુલ બેંચ સમક્ષ મુસ્લિમ યુવતીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ વિનોદ કુલકર્ણીએ કહ્યું હતું કે, “હિજાબ પહેરવા પર પ્રતિબંધને કારણે ગરીબ મુસ્લિમ છોકરીઓ પરેશાન છે. હું કોર્ટને વિનંતી કરું છું કે શુક્રવાર (મુસ્લિમો માટે જુમ્માનો દિવસ) અને પવિત્ર રમઝાન માસ દરમિયાન છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ આપતો આદેશ પસાર કરે. કુલકર્ણીએ દલીલ કરી હતી કે હિજાબના મુદ્દાને કારણે દેશમાં “સામૂહિક ઉન્માદ” છે. તેમણે કહ્યું કે હિજાબ “સ્વાસ્થ્ય કે નૈતિકતા વિરુદ્ધ નથી.” તેમના મતે, હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ પવિત્ર કુરાન પર પ્રતિબંધ મૂકવા સમાન છે.
ઉલ્લેખનીય છે કે ઉડુપીની એક કોલેજની છ વિદ્યાર્થીનીઓએ 1 જાન્યુઆરીએ શહેરમાં ‘કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (CFI) દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાં તેમને હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. કોલેજ સત્તાવાળાઓએ વિરોધ કર્યો હતો.