તમિલનાડુમાં વીજળી પડવાથી 6 લોકોના મોત થયા છે. આ ઘટના વિરુધુનગર અને કલ્લાકુરિચી જિલ્લાની છે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને વળતરની જાહેરાત કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તામિલનાડુના વિરુધુનગર અને કલ્લાકુરિચી જિલ્લામાં બુધવારે વીજળી પડવાથી 6 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.