Language controversy/ ‘જે લોકો હિન્દી નથી બોલતા તેમનું દેશમાં કોઈ સ્થાન નથી’, યુપીના મંત્રી સંજય નિષાદનું નિવેદન

મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘મને તમામ પ્રાદેશિક ભાષાઓ માટે સન્માન છે પરંતુ કાયદા મુજબ હિન્દી રાષ્ટ્રભાષા છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

Top Stories India

નિષાદ પાર્ટીના વડાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો હિન્દી બોલવાની ના પાડીને મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘આવા તત્વો દેશમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો તેમને સજા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશભરમાં હિન્દી ભાષાને લઈને વિવાદ ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણે સંવાદ તરીકે હિન્દીનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. આ નિવેદન બાદ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. હાલમાં જ અજય દેવગન અને સાઉથના કલાકાર સુદીપ કીચાના નિવેદનો પણ ચર્ચામાં છે. દરમિયાન હવે ઉત્તર પ્રદેશના મંત્રી ડૉ.સંજય નિષાદે કહ્યું કે જેમને હિન્દી પ્રત્યે વાંધો છે તેમણે ભારત છોડી દેવું જોઈએ.

તેમણે કહ્યું, ‘જે લોકો ભારતમાં રહેવા માંગે છે તેમણે હિન્દીને પ્રેમ કરવો પડશે. જો તમને હિન્દી ન ગમતી હોય તો એવું માની લેવામાં આવશે કે તમે વિદેશી છો અથવા વિદેશી શક્તિઓ સાથે સંકળાયેલા છો. અમે પ્રાદેશિક ભાષાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ આ દેશ એક છે અને ભારતનું બંધારણ કહે છે કે ભારત ‘હિન્દુસ્તાન’ છે, જેનો અર્થ હિન્દી ભાષીઓ માટેનું સ્થાન છે.’

તેમણે કહ્યું, ‘હિન્દી ન બોલતા લોકો માટે હિન્દુસ્તાનમાં સ્થાન નથી. તેઓએ આ દેશ છોડીને બીજે ક્યાંક જવું જોઈએ.

મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘મને તમામ પ્રાદેશિક ભાષાઓ માટે સન્માન છે પરંતુ કાયદા મુજબ હિન્દી રાષ્ટ્રભાષા છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. ભલે તે ગમે તેટલો મોટો રાજકારણી હોય કે શક્તિશાળી હોય.

નિષાદ પાર્ટીના વડાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો હિન્દી બોલવાની ના પાડીને મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. “આવા તત્વો દેશમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો તેમને જડબાતોડ જવાબ આપશે,”