દેશ સહિત રાજ્યમાં ચોમાસુ વિધિસર બેસી ગયું છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિત અનેક રાજ્યમાં જનજીવનને ભારે અસર થઈ હતી. ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા 24 કલાકમાં 61 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે વરસાદથી પ્રભાવિત 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલ્યા છે. એ જ રીતે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ગુજરાતમાં અંબિકા નદીના કિનારે અચાનક પૂર આવતા સરકારી કર્મચારીઓ અટવાયા હતા. બાદમાં વલસાડના કલેકટરે ભારતીય કોસ્ટ ગાર્ડને જાણ કરી મદદ માંગી હતી. આઈસીજીના એક અધિકારીએ જણાવ્યું કે ચેતક હેલિકોપ્ટર દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે પવન અને ભારે વરસાદને કારણે થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ 16 લોકોને બચાવી લેવાયા હતા.
Gujarat | On request from Collector Valsad to rescue personnel stranded due to flash floods on the banks of river Ambika, Indian Coast Guard launched an op through Chetak helicopter and rescued 16 people amidst marginal visibility in strong winds & heavy rains: ICG officials pic.twitter.com/LhJxJzboMs
— ANI (@ANI) July 11, 2022
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદના કારણે 10700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદની મોસમ અટકી નથી. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં પૂર અંગે ટ્વિટ કરીને કહ્યું- મેં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જી સાથે વાત કરી અને મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ગુજરાત પ્રશાસન, SDRF અને NDRF અસરગ્રસ્ત લોકોને ઝડપી મદદ પહોચાડવા કામે લાગ્યા છે.
ગુજરાતમાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. અહીં ડેડીયાપાડા અને સાગબારામાં 8 કલાકમાં 17 ઈંચ વરસાદ નોંધાયો છે જેના કારણે કરજણ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ 9 દરવાજામાંથી 2 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચના 12 અને નર્મદાના 8 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. પૂરના કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.વાસ્તવમાં કરજણ નદીનું પાણી સીધું નર્મદા નદીને મળે છે, જેના કારણે ભરૂચ નજીક નર્મદાનું સ્તર વધશે.