બોલિવૂડ સ્ટાર્સ ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું બ્રેકઅપ બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બનેલું છે. અહેવાલો છે કે બંને 6 વર્ષના રિલેશનશિપ બાદ અલગ થઈ ગયા છે. જો કે, બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધો વિશે કોઈ નિવેદન આપ્યું નથી. ઘણીવાર બંને સારા મિત્રો હોવાના આ સવાલના જવાબમાં કહેતા આવ્યા છે. પરંતુ બંને ઘણીવાર ડિનર અને લંચમાં સાથે જોવા મળતા હતા. જ્યારથી બ્રેકઅપના સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ તેમના અલગ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કોશિશ કરી રહ્યા છે. સુત્રોનું કહેવુ છે કે લગ્નની વાત પર બંનેનું બ્રેકઅપ થયું છે.

ટાઈગરના એક મિત્રએ જણાવ્યું કે તેમનું બ્રેકઅપ કેમ થયું. મિત્રે કહ્યું કે જ્યારથી ટાઈગરે તેના માતા-પિતા જેકી અને આયેશાથી અલગ રહેવાનું શરૂ કર્યું ત્યારથી તે દિશા સાથે લિવ-ઈનમાં રહેતો હતો. તેઓ લાંબા સમયથી સાથે હતા અને દિશાને આ વર્ષે એવું લાગવા લાગ્યું કે તેઓએ લગ્ન કરી લેવા જોઈએ.

મિત્રે એ પણ જણાવ્યું કે દિશાએ ટાઈગરને પોતાના મનની વાત કરી હતી, પરંતુ ટાઈગરે આ વાત ટાળી દીધી હતી. અલબત્ત, તેણે તેને એક કે બે વાર કરતાં વધુ કહ્યું હશે, પરંતુ દરેક વખતે ટાઇગરનો જવાબ ના હતો. તે દિશાને હંમેશા કહેતો કે અત્યારે નહીં. દિશા લગ્ન કરવા માંગતી હતી, પરંતુ ટાઈગર તૈયાર નહોતો.
જ્યારે એક્સ કપલના મિત્રને પૂછવામાં આવ્યું કે દિશા બ્રેકઅપ સાથે કેવી રીતે ડીલ કરી રહી છે? આના પર તેણે જવાબ આપતા કહ્યું, “દિશાએ તેને સકારાત્મક રીતે લીધું છે. તે ગુસ્સે નથી.” એમ પણ કહ્યું કે કોણ જાણે છે કે તેઓ થોડા સમય પછી ભેગા થશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, જેકી શ્રોફે એક મોટું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેના પુત્ર અને દિશા વચ્ચેના સંબંધોની સ્થિતિનો ખુલાસો કર્યો હતો. એક મીડિયા ઓર્ગેનાઈઝેશનને આપેલા ઈન્ટરવ્યુમાં જેકી શ્રોફે કહ્યું, “ટાઈગર અને દિશા હંમેશા મિત્રો હતા અને હજુ પણ છે. હું હજુ પણ તેમને સાથે બહાર જતા જોઉં છું. એવું નથી કે હું મારા પુત્રની લવ લાઈફ પર નજર રાખું. હું તેની ગોપનીયતામાં દખલ કરવા નથી ઈચ્છતો. પરંતુ મને લાગે છે કે તેઓ ખૂબ સારા મિત્રો છે. તેઓ કામ સિવાય એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.”
