movement/ ગૃહમંત્રીએ બાંયધરી આપતા માજી સૈનિકોનું આંદોલન સમેટાયું,પરિપત્ર કરી દેવામાં આવશે

માજી સૈનિકો છેલ્લા ચાર વર્ષથી 14 માંગણીઓ કરી રહ્યા  હતા અંતે તેમની માંગો સ્વીકારવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે

Top Stories Gujarat
  • ગાંધીનગર માજી સૈનિકોનું આંદોલન સમેટાયું
  • પરિપત્ર કરવાની માંગ સરકારે સ્વીકારી
  • ગૃહ મંત્રી સાથે બેઠક બાદ ખાતરી આપી
  • પરિપત્ર કરવાની ખાતરી આપતા આંદોલન સમેટયું
  • આવતીકાલે થઈ શકે છે જાહેર પરિપત્ર

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ સંગઠનો આંદોલનના માર્ગે છે. 14 જેટલા મુદ્દાઓ સાથે આજે માજી સૈનિકોએ સૈનિકોએ ધરણા પર બેઠા હતા.માજી સૈનિકો છેલ્લા ચાર વર્ષથી 14 માંગણીઓ કરી રહ્યા  હતા અંતે તેમની માંગો સ્વીકારવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. પરિપત્ર કરવાાની માંગ સરકારે સ્વીકારી છે. ગૃહમંત્રીએ બાંયધરી આપતા માજી સેનિકોએ આંદોલન સમેટી લીધું હતું અને ચહેરા પર આનંદની લાગણી જોવા મળી રહી હતી.