પંજાબ કોંગ્રેસના નેતા અને સાંસદ મનીષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર એક યુઝર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે સામાન્ય સૌજન્ય અને નમ્રતા જરૂરી છે.
મનીષ તિવારીએ ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે જ્યારે દેશના વડાપ્રધાન તમારા સંસદીય ક્ષેત્રમાં આવ્યા હોય, ત્યારે તમારા માટે તે સ્થળના સાંસદ તરીકે તેમના સન્માન અને સામાન્ય સૌજન્ય હેઠળ તે કાર્યક્રમમાં હાજરી આપવી જરૂરી બની જાય છે. તેમણે કહ્યું કે પીએમ મારા સંસદીય ક્ષેત્ર શ્રી આનંદપુર સાહિબ આવ્યા હતા, તેથી રાજકીય મતભેદો હોવા છતાં મેં તેમનું સ્વાગત કર્યું. તેમણે આગળ લખ્યું કે અમે પંજાબીઓ ના તો નાના દિમાગના છીએ કે ના તો નાના દિલના.
Protocol & Propriety.
If Sh @narendramodi @PMOIndia visits my Parlimentary Constituency Sri Anandpur Sahib courtesy demands I welcome him notwithstanding political differences.
We Punjabi’s are neither small minded nor small hearted.@GauravAgrawaal https://t.co/bL5727RTHr— Manish Tewari (@ManishTewari) August 24, 2022
ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે દેશ આઝાદીના અમૃતમાં નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે. આજનો કાર્યક્રમ દેશની સુધરતી આરોગ્ય વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. પંજાબ, હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશને પણ આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કામથી ફાયદો થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સારી આરોગ્યસંભાળ વ્યવસ્થાનો અર્થ માત્ર દીવાલો બાંધવાનો નથી, પરંતુ દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે દરેક રીતે ઉકેલ આપે છે.
શું કહ્યું રાજ્યના CM ભગવંત માને
આજે વડાપ્રધાન મોદી મોહાલી આવ્યા હતા. અહીં તેમણે 300 બેડની હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. મોહાલીમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, માનએ કેન્સર હોસ્પિટલને વડાપ્રધાન મોદીએ રાજ્યને આપેલી મોટી ભેટ ગણાવી.