વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાણીતા હાસ્ય કલાકાર-અભિનેતા રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી અમારું જીવન ઉજ્જવળ કર્યું. રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતા અને 40 દિવસથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ હતા.
10 ઓગસ્ટે દિલ્હીની એક હોટલમાં કસરત કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ કરવામાં આવી. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા અને હોશમાં આવ્યા ન હતા.
એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું કે રાજુ શ્રીવાસ્તવે અમારા જીવનને હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી પ્રકાશિત કર્યું. તે ખૂબ જ જલ્દી આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્ય દ્વારા તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં રહેશે.
Raju Srivastava brightened our lives with laughter, humour and positivity. He leaves us too soon but he will continue to live in the hearts of countless people thanks to his rich work over the years. His demise is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/U9UjGcfeBK
— Narendra Modi (@narendramodi) September 21, 2022
તેમણે કહ્યું કે તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. થોડા સમય માટે સમાજવાદી પાર્ટીનો ભાગ રહ્યા બાદ શ્રીવાસ્તવ 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.
આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં અવસાન
આ પણ વાંચો:ગુજરાત સરકારને રાહતનો શ્વાસ! માજી સૈનિકો અને એસટી કર્મચારીઓનો આંદોલન પૂર્ણ
આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવની છેલ્લી પોસ્ટ, એડમિટ થયા પહેલા શેર કર્યો હતો આ વીડિયો
