રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે (10 નવેમ્બર) ઓડિશાની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે લગભગ બે કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા.આ દરમિયાન ભક્તોએ મંદિરમાં જતા રાષ્ટ્રપતિનું અભિવાદન પણ કર્યું હતું. રસ્તામાં મોટી સંખ્યામાં બાળકો પણ રાષ્ટ્રપતિને મળવા ઉભા હતા. રાષ્ટ્રપતિએ હસતાં હસતાં લોકોનાં અભિવાદનનો સ્વીકાર કર્યો.
જય જગન્નાથ-જય જગન્નાથના જયકાર ગુંજી રહ્યા હતા
ભુવનેશ્વરમાં રાષ્ટ્રપતિના આગમન પર ઓડિશાના રાજ્યપાલ પ્રો. ગણેશી લાલ, મુખ્યપ્રધાન નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની ઓડિશાની આ પ્રથમ મુલાકાત છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અહીંથી રાષ્ટ્રપતિ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પુરી જવા રવાના થયા. આ દરમિયાન તેઓ ચપ્પલ વગર લગભગ 2 કિમી સુધી ચાલ્યા હતા. પ્રતિકૂળ હવામાન હોવા છતાં, તેમના હોઠ પર સ્મિત તરવરતું રહ્યું. રાષ્ટ્રપતિની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ગયા હતા. રાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં લોકો જય જગન્નાથ-જય જગન્નાથના નારા લગાવતા જોવા અને સાંભળ્યા હતા.
In a rare gesture, President Droupadi Murmu walked about two kilometers to seek the blessings of Lord Jagannath at Puri. Devotees greeted the President on her way to the temple. pic.twitter.com/b6C8IQQZnr
— President of India (@rashtrapatibhvn) November 10, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશા રાજ્યના છે.લગભગ 25 વર્ષ પહેલા દ્રૌપદી મુર્મુએ કાઉન્સિલર બનીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. દ્રૌપદી મુર્મુ 1997 માં ઓડિશામાં રાયરંગપુર નગર પંચાયતમાંથી કાઉન્સિલરની ચૂંટણી જીતનાર પ્રથમ હતા. ત્યારપછી ત્રણ વર્ષ બાદ 2000માં તેઓ પહેલીવાર રાયરંગપુરથી ધારાસભ્ય બન્યા હતા. 2002 અને 2004 ની વચ્ચે, તેણીને બીજેપી-બીજેડી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુ 18 મે 2015ના રોજ ઝારખંડના 9મા રાજ્યપાલ બન્યા. દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈના રોજ પદ સંભાળ્યું હતું.
Governor of Odisha Prof. Ganeshi Lal, Chief Minister Shri Naveen Patnaik and Union Education Minister Shri Dharmendra Pradhan received President Droupadi Murmu on her arrival in Bhubaneswar. The President was accorded a guard of honour on her first visit to Odisha. pic.twitter.com/deNapXoRgo
— President of India (@rashtrapatibhvn) November 10, 2022
10-11 નવેમ્બર સુધી પ્રવાસ પર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 અને 11 નવેમ્બરે ઓડિશાની મુલાકાતે છે. તેમના આગમન પર રાજ્ય સરકારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અહીંથી તેઓ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુરી જવા રવાના થયા હતા. ત્યાં મંદિર ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.
ભુવનેશ્વરમાં રાજભવનમાં તેમના સન્માનમાં ભોજન સમારંભ, ભુવનેશ્વરમાં તેમની શાળાની મુલાકાત ઉપરાંત અન્ય ઘણા કાર્યક્રમો. રાજ્ય સરકારે મુર્મુની મુલાકાત પર રાજ્યની રાજધાની ક્ષેત્રની તમામ કચેરીઓ, શાળાઓ અને કોલેજો માટે પહેલાથી જ અડધા દિવસની રજાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી
આ પણ વાંચો:ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ
