વિજય દિવસ/ 1971ના યુદ્ધમાં સશસ્ત્ર દળોની બહાદુરીને ભારત ક્યારેય નહીં ભૂલે :PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસમાં આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસમાં આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત તેની સશસ્ત્ર દળોની બહાદુરીને ક્યારેય ભૂલી શકશે નહીં, જેના કારણે તેને 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મળ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસમાં ‘એટ હોમ’ સ્વાગત કર્યું. ભારત આપણા સશસ્ત્ર દળોની બહાદુરીને ક્યારેય ભૂલી શકશે નહીં, જેણે 1971ના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.”