ગ્વાલિયર/ PM મોદીનું બની રહ્યું છે મંદિર, રોજ થશે આરતી, આ જગ્યાએ થશે સ્થાપના

મંદિર માટે PM મોદીની મૂર્તિ એક જાણીતા શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દોઢ ફૂટની આ મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ

Top Stories India
મંદિર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે અને દેશ-વિદેશમાં તેમના ફોલોઅર્સ છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે તેમનું મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની રહ્યું છે. આ મંદિરમાં રોજ પીએમ મોદીની આરતી કરવામાં આવશે અને આ મંદિરની સ્થાપના દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંદિર પાસે કરવામાં આવશે.

કેવું હશે પીએમ મોદીનું મંદિર?

મંદિર માટે PM મોદીની મૂર્તિ એક જાણીતા શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દોઢ ફૂટની આ મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ મોદીની મૂર્તિ તૈયાર થયા બાદ તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીના આ મંદિરની સ્થાપના દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીના મંદિર પાસે કરવામાં આવશે. અટલનું મંદિર અહીં પહેલેથી જ છે અને દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરવામાં આવે છે.

હવે પીએમ મોદીના મંદિરના નિર્માણ બાદ તેમની પણ દરરોજ આરતી કરવામાં આવશે. અખિલ ભારતીય યુવા અભિષેક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય સિંહ ચૌહાણે જણાવ્યું કે આ મંદિર શહેરમાં સત્યનારાયણની ટેકરી પર બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં પહેલાથી જ સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું મંદિર છે. પીએમ મોદીની પ્રતિમા તૈયાર છે.

તેમણે કહ્યું કે પીએમ મોદીએ હિન્દુત્વને આગળ વધાર્યું છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુત્વને એક અલગ ઓળખ આપી છે. એટલા માટે અમને અને ગ્વાલિયરના લોકો મોદીજી માટે આદર ધરાવે છે કે તેમનું નામ સદીઓ સુધી જીવંત રહે.

આ પણ વાંચો:રોડ ક્રોસ કરતી મહિલાઓને ઇકો ગાડીએ રીતસર હવામાં ફંગોળી, જુઓ CCTV

આ પણ વાંચો:સુરતમાં દુષ્કર્મ પીડિતાને અમાનુષિત ત્રાસ આપવા મામલે બે મહિલાની ધરપકડ

આ પણ વાંચો:કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું હવે નવું ઠેકાણું હશે સાબરમતી જેલ

આ પણ વાંચો:રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી

આ પણ વાંચો:પેપરલેસ પરીક્ષા લેતી ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી