Chandrayaan 3/ ચંદ્રની ખૂબ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3, ઓછી કરી તેની ભ્રમણકક્ષા; સપાટીના સ્પર્શથી કેટલું દૂર જાણો

ઈસરોએ તેની ભ્રમણકક્ષામાં વધુ એક વખત ઘટાડો કર્યો છે. એટલે કે હવે તે ચંદ્રની નજીક ફરશે. અગાઉ રવિવારે, તેની ભ્રમણકક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો

Top Stories India

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મિશન હવે તેના લક્ષ્યની ખૂબ નજીક છે. આજે ચંદ્રયાન-3 ચંદ્ર તરફ વધુ એક ડગલું ચાલવા જઈ રહ્યું છે. ઈસરોએ તેની ભ્રમણકક્ષામાં વધુ એક વખત ઘટાડો કર્યો છે. એટલે કે હવે તે ચંદ્રની નજીક ફરશે. અગાઉ રવિવારે, તેની ભ્રમણકક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે 170X14313 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે. હવે તે 174X 1437 કિમીની ભ્રમણકક્ષામાં ફરશે.

અગાઉ 5 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવ્યું હતું અને તેની ભ્રમણકક્ષામાં સ્થાન પામ્યું હતું. ISRO માટે આ એક મોટી સફળતા હતી. જણાવી દઈએ કે 22 દિવસની સફર બાદ ચંદ્રયાન ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું.તેની ગતિ ઓછી કરવામાં આવી હતી જેથી તે ચંદ્રના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત થઈ શકે. આ પછી યાનનો ચહેરો પલટાયો અને અડધા કલાક સુધી ફાયર કરવામાં આવ્યું.

ચંદ્રયાન ચંદ્રની નજીક આવતાની સાથે જ સુંદર તસવીરો મોકલી હતી. ઈસરોએ તેનો વીડિયો વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. લેન્ડર અને રોવર ચંદ્ર પર ઉતરતા પહેલા ચંદ્રયાન વધુ બે વાર તેની ભ્રમણકક્ષા બદલશે. તે ધીરે ધીરે ચંદ્રની નજીક જતો રહેશે. આ પછી, લેન્ડર રોવર સાથે સોફ્ટ લેન્ડિંગ કરશે. ખાસ વાત એ છે કે ભારત ચંદ્રયાનને દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવા જઈ રહ્યું છે, જ્યાં હજુ સુધી કોઈ દેશે લેન્ડિંગ કર્યું નથી.

ચંદ્રયાનનું લેન્ડર અને રોવર 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગો કરશે. પહેલા લેન્ડર લેન્ડ થશે અને પછી રોવર તેમાંથી બહાર આવશે. રોવર બહાર થોડે દૂર ચાલીને સંશોધન કરશે અને લેન્ડરને તમામ માહિતી આપશે. લેન્ડર તમામ માહિતી ઓર્બિટરને આપશે, જે તેને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે. આ સાથે ચંદ્રની માટીનો અભ્યાસ કરવામાં આવશે તેમજ ચંદ્ર પર ભૂકંપ કેવી રીતે આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ ધ્રુવ ખૂબ જ ઠંડો રહે છે, આવી સ્થિતિમાં અહીં પાણીની હાજરી વિશે પણ માહિતી મળી શકે છે. 14 દિવસ પછી આ ભાગમાં અંધારું થવા લાગશે.

આ પણ વાંચો:લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધી લેશે ભાગ

આ પણ વાંચો:ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની છે સરકાર? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં જણાવ્યું સત્ય

આ પણ વાંચો: દિલ્હી સર્વિસ બિલ પર રાઘવ ચઢ્ઢાએ કર્યો વળતો પ્રહાર, નહેરુવાદી બનવાને બદલે અડવાણીવાદી…

આ પણ વાંચો: સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થતાં જ સક્રિય થયા રાહુલ ગાંધી, આવતીકાલે લોકસભામાં બોલશે, આ હશે મુદ્દો