પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર એક ખતરનાક માર્ગ અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ રાવલપિંડીથી હુન્ઝા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતકોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકો વિશે માહિતી આપતા હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
મૃત્યુઆંક વધવાની શકયતા
પાકિસ્તાનમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માત અંગે બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો:કોવિશિલ્ડ પરના હોબાળા વચ્ચે, જાણો શું કહ્યું કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકે
આ પણ વાંચો:નાસાને અવકાશમાં મળી મોટી સફળતા,14 કરોડ માઇલ દૂરથી પૃથ્વીને મળ્યો સંદેશ
આ પણ વાંચો:રાજેશ ઠાકુરે દિલ્હી પોલીસને આપવામાં આવેલી નોટિસનો આપ્યો જવાબ, કહ્યું હું હેન્ડલ ઓપરેટ કરતો નથી