CM Bhupendra Patel Voting/ સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યુ મતદાન, ભારતને નવા યુગમાં મતદાન કરવા કરી અપીલ

લોકસભા ચૂંટણી 2024 નિમિત્તે ગુજરાતમાં આજે 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.

Gujarat Top Stories Ahmedabad

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 નિમિત્તે ગુજરાતમાં આજે 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ. ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો અને કાર્યકરો પણ મતદાનમાં જોડાયેલા હતા.

ગુજરાતની કુલ 26 સીટમાં સુરતની સીટ બિનહરીફ થતાં 25 બેઠકોની લોકસભા ચૂંટણીની આજે મતદાન પ્રક્રિયા જારી છે. આ 25 બેઠક પર ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે ભારતને વિકસિત દેશ બનાવવા મતદાન માટે અપીલ કરી હતી. ગાંધીનગરમાં મોટું મતદાન કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી. ભુપેન્દ્ર પટેલે અને તેમના દીકરા અનુજ પટેલે પણ મતદાન કર્યુ હતુ.

આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો અને વિધાનસભા પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. તેમા ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાનમથકો આવેલા છે. રાજ્યના 110 મતદાન મથકો એવા છે જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધારે છે. મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સગવડો પૂરી પાડવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-18 ખાતે રાજ્ય કક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં વહેલી સવારથી મતદાન પ્રક્રીયા શરૂ, કૃષિમંત્રી રાઘવજી પટેલ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલે નારણ પર ગામ મતદાન કર્યું સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી

ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યુ હતું. તેમણે મતદારોને લોકશાહીનું પર્વ ઉજવવા માટે વિનંતી કરી હતી. લોકોને પૂરી તાકાતથી મતદાન કરવા જણાવ્યું હતું. ભારતને નવા યુગમાં મૂકવા માટે મતદાન કરવા જણાવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ મતદાન કર્યુ હતુ. તેની સાથે તેમણે શહેરીજનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારોએ લોકશાહીના આ પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવી જોઈએ. મતદાન જેટલું વધારે થશે તેટલી લોકશાહી વધુ મજબૂત થશે. લોકોને વિકાસ માટે મત આપવા તેમણે અપીલ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ