Vande Bharat Express: ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સ્લીપર વેરિઅન્ટને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને તેને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ભારતીય રેલવે શતાબ્દી અને રાજધાની ટ્રેનોને રોકવાની તૈયારી કરી રહી છે? શું હવે તેને હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનો સાથે બદલવાનો કોઈ ઈરાદો છે? સવાલ એ પણ છે કે શું મુંબઈમાં વંદે મેટ્રો સેવા સાથે વંદે ભારત નેટવર્કને વિસ્તારવાની યોજના છે.
દરમિયાન, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો તબક્કાવાર રીતે શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. આ સેમી-હાઈ-સ્પીડ સ્વદેશી ટ્રેનના સ્લીપર વેરિઅન્ટને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. યાદ અપાવી દઈએ કે, રાજધાની એક્સપ્રેસ ટ્રેનોને ભારતીય રેલવેની પ્રીમિયમ સેવાઓમાંની એક ગણવામાં આવે છે, જે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને વિવિધ રાજ્યોની રાજધાનીઓ સાથે જોડે છે. ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર BG માલ્યાએ ફાઈનાન્સિયલ એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઘણી જગ્યાએ જ્યાં વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે, તેનું શેડ્યૂલ શતાબ્દી એક્સપ્રેસ સાથે નજીકથી મેળ ખાય છે. આ દર્શાવે છે કે શતાબ્દી ટ્રેનોને વંદે ભારત સાથે બદલવાની સંભાવના છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે
યાદ અપાવી દઈએ કે, વંદે ભારત એક્સપ્રેસ એ ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે. તેને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે, જે ભારતીય રેલવેની પેટાકંપની છે. તે જોવામાં આકર્ષક છે અને સંપૂર્ણ ACથી સજ્જ છે. વંદે ભારત ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ અને સેવા પૂરી પાડે છે. ખાસ વાત એ છે કે વંદે ભારત ટ્રેન મુસાફરોમાં ઘણી લોકપ્રિય બની છે. આ જ કારણ છે કે ભારતીય રેલ્વે હવે તેના વિસ્તરણની તૈયારી કરી રહી છે. દેશભરમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક નાખવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો:પેશાબ પીવડાવ્યો, મુંડન, ચંપલની માળા અને ઘાઘરો પહેરાવી ગામની આસપાસ ફરવ્યો પછી….
આ પણ વાંચો:લૂ લાગવાથી રાહુલ ગાંધીએ માથે ઠાલવી પાણી બોટલ, કહ્યું- બહુ ગરમી….
આ પણ વાંચો:જૂનમાં થશે ભારે વરસાદ, જાણો કેટલો પડશે વરસાદ? સામે આવ્યું IMDનું લેટેસ્ટ અપડેટ
આ પણ વાંચો:અરજી લઈને પહોંચેલા કેજરીવાલને SCએ આપ્યો મોટો ઝટકો, જાણો ન્યાયાધીશે શું કહ્યું?