Opposition Leader: રાહુલ ગાંધીએ ફરી એકવાર અગ્નવીર યોજનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાએ શહીદ અગ્નિવીર અજય કુમારના પરિવારના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને હજુ સુધી સરકાર તરફથી કોઈ વળતર મળ્યું નથી. નોંધનીય છે કે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર રાહુલ ગાંધીના ભાષણ પર ભારે હોબાળો થયો હતો. ભાષણમાં રાહુલ ગાંધીએ નીટ પેપર લીક અને કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના પર નિશાન સાધતા અનેક આરોપો પણ લગાવ્યા હતા. જો કે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીના આરોપોને નકલી ગણાવ્યા.
સરકારને પ્રશ્ન કર્યો
રાહુલે X પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મૃતક અગ્નિવીરના પિતા કહી રહ્યા હતા કે તેમના પરિવારને ખાનગી બેંકમાંથી વીમા તરીકે 50 લાખ રૂપિયા અને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડમાંથી 48 લાખ રૂપિયા મળ્યા છે. રાહુલે કહ્યું કે પરિવારને સરકાર તરફથી કોઈ એક્સ-ગ્રેશિયાની રકમ મળી નથી અને પ્રશ્ન કર્યો કે તેમનો બાકી પગાર તેમના બેંક ખાતામાં શા માટે જમા કરવામાં આવ્યો નથી.
‘વળતર’ અને ‘વીમા’ વચ્ચે તફાવત
વીડિયોમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે અજય કુમારના પરિવારને સરકાર તરફથી એવી કોઈ મદદ મળી નથી જે મળવી જોઈએ. તેમણે કહ્યું કે ‘વળતર’ અને ‘વીમા’ વચ્ચે તફાવત છે. શહીદના પરિવારને ચૂકવણી વીમા કંપની દ્વારા જ કરવામાં આવી છે.
રાહુલે વધુમાં કહ્યું કે દેશ માટે બલિદાન આપનારા આ શહીદોનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ મોદી સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે સરકાર ગમે તે કહે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને હું તેને ઉઠાવતો રહીશ.
આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું
આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે હાથરસ આવશે, મૃતકોના સ્વજનોને મળશે
