china news/ ચીનમાં મુશળધાર વરસાદે મચાવી તબાહી, પૂલ તૂટતા 11 લોકોના થયા મોત, અનેક લાપતા

ચીનમાં 16 જુલાઈથી થઈ રહેલો વરસાદ ઘણો ભયંકર બની રહ્યો છે. તાજેતરમાં, મૂશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે શાંક્સી પ્રાંતમાં એક પુલ તૂટી પડ્યો હતો.

Top Stories World Breaking News

Chin Rain News: ચીનના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચીનમાં 16 જુલાઈથી થઈ રહેલો વરસાદ ઘણો ભયંકર બની રહ્યો છે. તાજેતરમાં, મૂશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે શાંક્સી પ્રાંતમાં એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા. ચીન હંમેશા તેના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ ટેક્નોલોજી માટે દેશભરમાં જાણીતું છે, પરંતુ હાલમાં જ વરસાદ દરમિયાન આ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હાલમાં જ વરસાદ દરમિયાન ત્યાં એક પુલ તૂટી પડ્યો હતો 11 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં સ્થિત શાંગલુઓમાં 19 જુલાઈ, શુક્રવારે વરસાદના કારણે એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા. ચીની મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ પુલ રાત્રે લગભગ 8.40 વાગ્યે મુશળધાર વરસાદ અને પૂરના કારણે તૂટી પડ્યો હતો.

ઘટનાસ્થળે હાજર રેસ્ક્યુ ટીમ
મળતી માહિતી મુજબ, પુલ તૂટી પડયો તે સમયે તે પુલ પર ઘણા લોકો આવતા-જતા હતા, જેના કારણે પુલ ધરાશાયી થતા જ તેના પર આવતા-જતા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના વાહનો સાથે, જેના કારણે લોકો મૃત્યુ પામ્યા. 20 જુલાઈની સવારે, રેસ્ક્યુ ટીમે નદીમાં પડી ગયેલા 5 વાહનોને બહાર કાઢ્યા હતા જે બચાવ કાર્ય કરી રહી છે.

મુશળધાર વરસાદના કારણે તબાહી
16 જુલાઈથી ઉત્તર અને મધ્ય ચીનના મોટા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થયું છે. દેશના ટેલિવિઝન સીસીટીવી પર દેખાડવામાં આવેલી ઘટનામાં જોઈ શકાય છે કે પુલનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આ ઘટના સિવાય ચીનમાં ભારે વરસાદે પણ તબાહી મચાવી છે. ચીનના શાંક્સીના બાઓજી શહેરમાં વરસાદના કારણે પુલ તૂટી પડવાથી મૃત્યુ ઉપરાંત પૂર અને ભૂસ્ખલનથી ઘણું નુકસાન થયું છે, જેના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને આઠ લોકો ગુમ થયા છે.

જણાવી દઈએ કે નરકોટામાં 66 કરોડ રૂપિયાના ખર્ચે 110 મીટર લાંબો સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પર 2021થી કામ ચાલી રહ્યું છે. 2022માં આ પુલનો આધાર તૂટી પડ્યો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાવધાન!પોલિયો વાયરસ ફરી પાછો આવ્યો, પાકિસ્તાનમાં 9 કેસ નોંધાતા ગભરાટ

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુ અને ગંભીર હિંસા વચ્ચે 778 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા: વિદેશ મંત્રાલય

આ પણ વાંચો: ચેલેન્જ પૂરી કરતા 13 વિદ્યાર્થીઓની તબિયત બગડી, કંપનીએ આપી હતી ચેતવણી