Vadodara News/ વડોદરામાં આજે શાળાઓમાં અપાઈ રજા, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના

વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની

Top Stories Vadodara Breaking News

Vadodara News: વડોદરા શહેરમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે આજે શહેરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વિશ્વામિત્રી (Vishwamitri river) કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વધુ સંભાવના હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આજવા ડેમની ભયજનક સપાટી 216 ફૂટ છે. જોકે, ડેમની સપાટી 213.85 ફૂટ પર પહોંચ્યા બાદ પાણી છોડવામાં આવી શકે છે. આજવાની સપાટી 213 ફૂટે પહોંચી છે તેમજ વિશ્વામિત્રી 23 ફૂટની સપાટી સાથે સ્તરે વહી રહી છે. આજવા અને પ્રતાપ સરોવરના તમામ દરવાજા હાલમાં બંધ છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતા દરવાજા હાલ ખોલવામાં આવશે નહીં. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી તેમ વડોદરા મ્યુનિસિપલ કોર્પેરેશને જણાવ્યુ છે. તંત્રએ લોકોને અફવાથી દૂર રહેવા પણ જણાવ્યું છે.

VMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 2000 નંગ ફૂડ પેકેટ તેમજ સુકા નાસ્તાની અને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ 30 સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે આગોતરા આયોજનના ભાગરૂપે NDRF એક ટુકડી પરશુરામ ભઠ્ઠા વિસ્તાર તેમજ એક ટુકડી સિધ્ધાર્થ બંગલો વિસ્તાર ખાતે ડિપ્લોય કરવામાં આવેલ છે.

વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં પડ્યો વરસાદ, આજે સાત તાલુકામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી