નવી દિલ્હીઃ નોટબંધી કર્યા બાદ PM મોદી ફરી જનતાને 31 ડિસેમ્બરની સાંજે સંબોધન કરવા જઇ રહ્યા છે. આ સંબોધન વખતે તે જનતાને રાહત પણ આપી શકે છે. 8 નવેમ્બરે PM નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતી વખતે 50 દિવસનો સમય માંગ્યો હતો જે 30 ડિસેમ્બરે પૂરી થઇ રહ્યા છે. જેથી નવી વર્ષની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી દેશને નામ સંદેશો આપી શકે છે.
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નવી વર્ષની સાંજે તે જનતાને સંબોધન કરી શકે છે. પરંતુ એ નક્કી નથી કે, તે જનતા ને શુક્રવારે સંબોધન કરશે કે શનિવારે. PM મોદીએ આ સંબોધનમાં નજતાને રાહત પણ આપી શકે છે.