Cyprus News: સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે PM નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સન્માન – “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III” એનાયત કર્યું.

1.4 અબજ ભારતીયો વતી આ સન્માન સ્વીકારતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ, સરકાર અને સાયપ્રસના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને ઉષ્માભર્યા સંબંધોને સમર્પિત કર્યો, જે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે આ પુરસ્કાર ભારતની “વસુધૈવ કુટુંબકમ” અથવા “વિશ્વ એક પરિવાર છે”ની સદીઓ જૂની ફિલસૂફીની માન્યતા છે, જે વૈશ્વિક શાંતિ અને પ્રગતિ તરફ તેના અભિગમને માર્ગદર્શન આપે છે.
![]()
PM મોદીએ ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારીને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે નવી પ્રતિબદ્ધતા તરીકે આ સન્માન સ્વીકાર્યું. તેમણે ભાર મૂક્યો કે આ પુરસ્કાર શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સમૃદ્ધિ પ્રત્યે બંને દેશોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પણ વાંચો:PM મોદીએ બ્રિટનના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી,રાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:PM મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરશે
આ પણ વાંચો:PM મોદીએ સાયપ્રસમાં અર્થવ્યવસ્થા, ડિજીટલ ક્રાંતિ જેવા મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા
