નવી દિલ્હીઃ યૂપી વિધાનસભાની ચૂંટણીમાં પાંચમાં તબક્કાની મતદાનમાં 11 જિલ્લાની 51 સીટો પર સવારે સાત વાગે મતદાન શરુ થયું હતુ. બપોરના 2 વાગ્યા સુધીમાં 51 સીટો પર 38.72 ટકા મતદાન થઇ ગયું હતું. ફૈજાબાદમાં 41.18 ટકા ગૌડામાં 36.7 ટકા મતદાન થયું છે. આ પહેલા સવારે 11 વાગ્યા સુધીમાં 27 ટકા મતદાન થયું હતું. મતાદનની શરૂઆતમાં અમેઠીના રાજઘરાનાના રાજા સંજય સિંહ સહિત બંને રાની અમિતા અને ગરિમાએ મતદાન કર્યું હતું. યૂપી સરકારમાં કૈબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિએ પણ પોલિંગ બુથ પર વોટિંગ કરવા માટે પહોંચી હતી.
બીજેપીના સ્ટાર પ્રચારક અને સાંસદ વિનય કટિયારે કટરાના પોલિંગ બુથ પર વોટિંગ કર્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચિત કરતા કહ્યું હતું કે, વિકાસની સાથે સાથે રામ મંદિર પણ જરૂરી છે. પીએમ મોદી તમામ મદ્દાની વાત કરે છે. તેમણે કહ્યું હતું કે, પચાસ હજારના અંતરથી જીતનાર વહી, વોટિંગ શરૂ થયા બાદ બહરાઇચના જરવલમાં એક પરિવારના મતદાન કર્યું હતું ત્યાર બાદ અર્થી ઉઠાવી હતી.