Ahmedabad News: આજ કાલ અમદાવાદમા (Ahmedabad) પ્રદુષિત પાણી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ફરી એક વાર સરસપુરમાં પ્રદુષિત પાણીની સમસ્યા સામે આવી છે. લલીતાબેનની ચાલી તેમજ અન્ય વિસ્તારોમાં પ્રદુષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેના કારણે AMCને ફરિયાદ પણ કરી હતી પરંતુ AMC ને વારંવાર ફરિયાદ કરવા છતાં, સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. કરોડો રૂપિયાના કરવેરા વસૂલતી AMC રહેવાસીઓમાં ગુસ્સો ભડકાવી રહી છે. આ લેખમાં, આપણે આ સમસ્યા, તેના કારણો, અસરો અને શક્ય ઉકેલો પર ચર્ચા કરીશું. સરસપુરના રહેવાસીઓને દરરોજ ગંદા, કાળા અને દુર્ગંધયુક્ત નળના પાણીનો સામનો કરવો પડે છે.
આ પાણીમાં દુર્ગંધ યુક્ત હોવાનું જાણવા મળ્યું છે, જે ગેસ્ટ્રોએન્ટેરિટિસ, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ સમસ્યા ખાસ કરીને તીવ્ર બને છે, જ્યારે વરસાદી પાણી ગટર અને ઔદ્યોગિક કચરા સાથે ભળે છે. જુલાઈ 2025 માં, સરસપુર, ખાડિયા અને શાહપુરમાં પીવાના પાણીના દૂષણની ઘટનાઓએ નાગરિકોને ચોંકાવી દીધા હતા. ૨૦૨૪-૨૫માં, અમદાવાદમાં પાણીની ગુણવત્તા અંગે 33,139 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 2,027ફરિયાદો ફક્ત સરસપુરથી જ નોંધાઈ હતી જે શહેરમાં બીજા ક્રમે સૌથી વધુ છે.કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે. આટલું પ્રદુષિત પાણી આવવા છતાં કરોડોનો વેરો વસુલતી મનપાને વેરાદારોની ફિકર નથી.
આ પણ વાંચો:અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત કરતા ટોળાની કારમાં તોડફોડ, ત્રણ વાહનને અડફેટે લીધાં
આ પણ વાંચો:અમદાવાદ શહેરની 332 શાળાઓ સામે DEOની કડક કાર્યવાહી
આ પણ વાંચો:અમદાવાદીઓ દુષિત પાણી પીવા મજબુર , ખોખરામાં પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ
