Ahmedabad News/ અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી 21 વર્ષીય યુવકે કર્યો આપઘાત

જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન સામે પડતું મૂકી જીવ ટૂંકાવ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી કંટાળીને 21 વર્ષના એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ચિરાગ પ્રતાપ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. યુવકે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતુ મુકીનેઆત્મહત્યા કરી લીધી હતી.

મૃતક ચિરાગ રાઠોડે અંતિમ પગવું ભરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં ચિરાગે લખ્યું હતું કે હું અને મારા પપ્પા બેકસુર છીએ. સોરી માય ફેમીલી, હું તમને છોડીને જાઉં છું. પ્રાથમિક તપાસમાં બુટલેગરના ત્રાસતી કંટાળીને ચિરાગે આપઘાત કર્યોહોવાની ચર્ચા છે.

એક મહિના પહેલા ચિરાગે બુટલેગર વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની અદાવત રાખીને બુટલેગર યુવકને હેરાન કરતો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો:સરકારી શાળામાં અદ્ભુત ‘ગેમ’, મુખ્ય શિક્ષકને બદલે દીકરો શાળામાં ભણાવતો જોવા મળ્યો, આ રીતે થયો સત્યનો પર્દાફાશ

આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી