Ahmedabad News : અમદાવાદના ચકચારભર્યા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો છે. જેમાં CEO ચિરાગ રાજપૂતની મુખ્ય સંડોવણી આવી સામે આવતા ચકચાર મચી ગઈ છે. તે સિવાય ચિરાગ પટેલ, રાહુલ જૈન અને મિલન પટેલની સંડોવણી પણ તપાસમાં બહાર આવી છે.
વધુ તપાસમાં 2021માં હોસ્પિટલ ખરીદીને ચાલુ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને પગાર આપવામાં આવ્યો ન હોવાનું પણ કહેવાય છે. તે સિવાય ચિરાગ પટેલ, રાહુલ જૈન અને મિલન પટેલ એમ ત્રણેય આરોપીઓના ઘરની તલાશી લેવામાં આવશે. બીજીતરફ 2022માં દર્દીનુ મોત નીપજ્યુ હતુ તે પણ કેસ ખુલ્યો છે.
આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ
આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.
