ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામનાં કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, ત્યારે તંત્રની બેદરકારી સામે સવાલો ઉભા થાય છે. પરંતુ તંત્ર ફક્તને ફક્ત આશ્વાસનો આપી જનતાને ગુમરાહ કરવાનુ કામ કરે છે. અગાઉ પણ ગેરકાયદેસર બાંધકામની પોલ ઉઘાડી પડેલી છે અને દુર્ઘટનાઓ પણ સર્જાયેલી છે ત્યારે લાગે છે કે સરકારને જનતાનાં જીવની કોઈ ચિંતા જ નથી.
વિગતમાં વાત કરીએ તો વાપીમાં બલિઠામાં ભંગારનુ ગેરકાયદેસર ગોડાઉન હતુ, જેમાં એકા એક આગ લાગી ગઇ હતી. આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આસપાસનાં બીજા 8 ગોડાઉનોમાં આગ પ્રસરી ગઈ હતી. આ ગોડાઉન રેહણાંક વિસ્તારમાં આવેલુ હોવાથી આસપાસનાં વિસ્તારોમાં દુર્ઘટના જેવી સ્થીતી સર્જાઈ હતી, દુર્ઘટનાને લીધે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…