ગાંધીનગર,
ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે .આ સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સભા દરમિયાન કોર્પોરેટરોએ ખુરશીઓ ઉછાળી હતી.
મહત્વનુ છે કે ક્રોગ્રેસના કોર્પોરેટરના અપહરણ મુદ્દે ભાજપ કોગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા અને સભા બરખાસ્ત કરવા માટે કોગ્રેસ દ્દારા નારેબાજી કરી હતી અને સભા બરખાસ્ત ના થાયતો ચોથા માળેથી કુદી જવાની ચીમકી કોગ્રેસ કોર્પો રેટર દ્રારા ચીમકી ઉય્યારવામાં આવી હતી.
કૉંગ્રેસના એક નેતા એ કહ્યું કે ભાજપ અમારા કોર્પોરેટરને ઉઠાવી ગયા છે, તેને પરત કરો. તમે સામાન્ય સભામાં ગેરહાજર રહેજો તમને 25 લાખ રૂપિયા મળશે. કોંગ્રેસમાં તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ રમખાણ મચ્યુ હતું. પરંતુ ભાજપમાં પણ બધુ ઓલ ઇઝ વેલ નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેના કારણે જ કોંગ્રેસના ચૂસ્ત સભ્ય ગણાતા અંકતિ બારોટ ગુમ થયાનું કહેવાય છે.
ભાજપને માત્ર ચૂંટણી જ જીવી છે. બીમાર કોર્પોરેટની ભાજપને પણ પડી નથી તેમ કૉંગ્રેસના કોર્પોરેટરે કહ્યું. તો બીજીબાજુ બીજા કૉંગ્રેસના કોર્પોરેટરે આત્મવિલોપનની ચીમકી આપી.