ભોજપુરી સ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લેક સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે.
મોનાલિસાના આ ફોટા પર ચાહકો તેની નવી સ્ટાઇલના ખુબ જ વખાણ કરી રહ્યા છે. મોનાલિસાને ભોજપુરી ફિલ્મ્સની સ્ટાર માનવામાં આવે છે.
આ પહેલા પણ મોનાલિસા સતત નવા-નવા અવતારમાં તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મોનાલિસાએ 100 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે.
મોનાલિસા આ દિવસોમાં તેના લૂક માટે ચર્ચામાં છે. લોકડાઉન દરમિયાન તેણે તેનું 7 કિલો વજન ઓછું કર્યું છે. તાજેતરના સમયમાં, તે નવા ટીવી શો ‘નમક ઇશ્ક કા’ માં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.
મોનાલિસા તાજેતરમાં જ નજર નામના એક શોમાં જોવા મળી હતી. જે લોકડાઉન અને કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. મોનાલિસાએ લગભગ દરેક ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ, પવન સિંહ, દિનેશ લાલ યાદવ નિરહુઆ અને રવિ કિશન સાથે કામ કર્યું છે.
મોનાલિસા ટીવી માટે એક જાણીતું નામ છે. મોનાલિસાની ખાસિયત છે કે તેમણે અન્ય ભાષાઓની સિનેમામાં પણ કામ કર્યું છે. મોનાલિસા ભોજપુરીના એક હીટ સોંગમાં કામ કરી ચુકી છે. તેમનું ફેન ફોલીવિંગ પણ ખુબ જ વધારે છે.
આપને જણાવી દઈએ કે, 21 ઓક્ટોબર 1980માં બંગાળી પરિવારમાં જન્મેલી મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને બાદમાં તે મોનાલિસા તરીકે ઓળખાવા લાગી. મોનાલિસાએ બિગ બોસના ઘરમાં વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે ફિલ્મ ‘બ્લેકમેલ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને અજય દેવગણ હતા.
આ પણ વાંચો : બોલિવૂડ માટે દુખદ રહ્યું 2020 : હવે યાદો અને ફોટામાં જ રહી જશે આ દિગ્ગજ સ્ટાર્સ
આ પણ વાંચો :‘મર્ડર 2’ એક્ટ્રેસ સુલગના પાનીગ્રહીએ આ કોમેડિયન સાથે કર્યા લગ્ન, જુઓ ફોટો
આ પણ વાંચો : હિના ખાને પિંક અને ઓફ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
આ પણ વાંચો : સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…