દિલ્હીના ચાંદની ચોક સ્થિત લાજપત રાય માર્કેટમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ અહીં સ્થિત એક દુકાનમાં લાગી હતી. આ પછી ઘણી દુકાનો તેની લપેટમાં આવી ગઈ. આગ પર કાબુ મેળવવા માટે 13 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગમાં કોઈને ઈજા થઈ નથી.દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, લાજપત રાય માર્કેટમાં આગની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
Delhi: Fire breaks out at Lajpat Rai Market in Chandni Chowk; 12 fire tenders rushed to the site for firefighting
— ANI (@ANI) January 6, 2022
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સવારે 4:43 વાગ્યે આગ વિશે ફોન આવ્યો હતો. આ પછી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. અત્યાર સુધી કોઈને નુકસાન થયું નથી.
દિલ્હી ફાયર સર્વિસના આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર રાજેશ શુક્લાએ કહ્યું, “કુલ 105 શેલમાં આગ લાગી છે, આ વિસ્તારને તેહ બજારી કહેવામાં આવે છે. લોકોનું કહેવું છે કે આગ વીજ ફોલ્ટના કારણે લાગી હતી. આમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આગ ઓલવાઈ ગઈ છે, ઠંડક થઈ રહી છે.