અમદાવાદ/ કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાતા સ્થાનિકો મૂંઝવણમાં

સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર ત્રાહિતની માલિકીમાં નોંધાયેલ છે, જેના કારણે સ્થાનિકો મૂંઝવણમાં છે.  

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદની પુરુષોત્તમ સોસાયટીના સ્થાનિકો હવે કૌભાંડમાં ફસાયા છે, સોસાયટીના રિડેવલપમેન્ટ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર ત્રાહિતની માલિકીમાં નોંધાયેલ છે, જેના કારણે સ્થાનિકો મૂંઝવણમાં છે.

અમદાવાદમાં જૂની ફ્લેટ સ્કીમ હવે રિડેવલપમેન્ટ માટે રિનોવેશન કરવામાં આવી રહી છે ત્યારે પુરૂષોત્તમ નગર સોસાયટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. 48 વર્ષ પહેલા સોસાયટીના દસ્તાવેજોમાં સોસાયટીના નામે 27074 ચોરસ મીટરના પ્લોટની એન્ટ્રી હતી. અન્ય વ્યક્તિના નામે બોલે છે. એક તરફ જર્જરિત બિલ્ડીંગ છે તો બીજી તરફ પ્લોટનું શું કરવું તે અંગે સ્થાનિક લોકો મુંઝવણમાં છે. સ્થાનિક લોકોએ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.

સોસાયટીના ત્રણ બ્લોકના 441 મકાનોના પરિવારો મુશ્કેલીમાં છે, એક તરફ જર્જરિત ફ્લેટના કારણે AMCએ નોટિસ આપી છે, તો હવે ક્યાં જવું તે પ્રશ્ન છે, સોસાયટી 48 વર્ષ જૂની છે અને પ્લોટ અન્ય કોઈના નામે છે, જેથી પ્લોટની સમસ્યા ટૂંક સમયમાં હલ થશે તેવી સ્થાનિક લોકોને આશા છે.

બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયા પછી ગુજરાત હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડે અત્યાર સુધીમાં 1000થી વધુ નાની-મોટી વસાહતો બનાવી છે. જેમાં ટેનામેન્ટ અને લો-રાઇઝ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2012 પછી, હાઉસિંગ બોર્ડે બહુમાળી એપાર્ટમેન્ટ બનાવવાનું શરૂ કર્યું. હાઉસિંગ બોર્ડે 483 લો-રાઇઝ એપાર્ટમેન્ટમાં 70855 મકાનો બનાવ્યા છે. મોટાભાગની વસાહતોના મકાનો ખૂબ જ જર્જરિત બની ગયા હતા અને તેનો પુનઃવિકાસ કરવો જરૂરી બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત