સીરિયાના પૂર્વ ભાગમાં, બંદૂકધારીઓએ શુક્રવારે વહેલી સવારે સૈનિકોને લઈ જતી બસ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 20 સૈનિકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. વિપક્ષી કાર્યકરોએ આ માહિતી આપી હતી. આ હુમલો ઈસ્લામિક સ્ટેટ (IS) આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 2019માં તેની હાર બાદ પણ તેના ‘સ્લીપર સેલ’ સીરિયાના વિસ્તારોમાં હુમલાઓ કરી રહ્યા છે. જોકે સીરિયન સેના અને સરકારે આ હુમલા અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે દેઇર એઝ-ઝોર પ્રાંતમાં માયાદીન શહેર નજીક નિર્જન રસ્તા પર થયેલા હુમલામાં 23 સીરિયન સૈનિકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. આ પ્રાંતની સરહદ ઈરાક સાથે છે. અન્ય એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે 20 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
એક સમાચાર એજન્સીએ એક અનામી લશ્કરી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે હુમલો ગુરુવારે રાત્રે થયો હતો અને ઉમેર્યું હતું કે “ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા.” તેમાં વધુ વિગતો આપવામાં આવી ન હતી, ન તો જાનહાનિનો આંકડો આપવામાં આવ્યો હતો.
IS એ મોટા ભાગ પર કબજો કર્યો હતો
IS એ સીરિયા અને ઇરાકના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો અને જૂન 2014માં ત્યાં પોતાની ‘ખિલાફત’ જાહેર કરી હતી. આ પછી તે 2017માં ઈરાકમાં અને 2019માં સીરિયામાં હાર્યો હતો.
ફેબ્રુઆરીમાં આઇએસ એ કર્યો ભયંકર હુમલાઓ
એકમાં, ISના સ્લીપર સેલે ફેબ્રુઆરીમાં મધ્ય શહેર સુખના નજીક ટ્રફલ એકત્ર કરતા કામદારો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા (મોટાભાગે કામદારો પરંતુ કેટલાક સીરિયન. સરકારી સુરક્ષા દળો) પણ માર્યા ગયા.
શું થઈ રહ્યું છે આતંકનું પુનરુત્થાન ?
જેહાદી જૂથો પર નજર રાખતા નિષ્ણાતો કહે છે કે હુમલાની તાજેતરની ગતિ સીરિયા અને ઇરાકમાં લાખો લોકો પર આતંક સાથે શાસન કરનારા ઉગ્રવાદીઓના નવા પુનરુત્થાનને ચિહ્નિત કરે છે કે કેમ તે કહેવું ખૂબ જ વહેલું છે
આ પણ વાંચો:Deflation in China/પાકિસ્તાનના મદદગાર ચીનની ડગમગતી હોડી, અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો
આ પણ વાંચો:pakistan national assembly/PM તરીકેના વિદાય ભાષણમાં શાહબાઝ શરીફે જાણો શું કહ્યું, આ બનશે પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી
આ પણ વાંચો:નવો ખતરો/કેટલું ખતરનાખ છે કોરોના નવું વેરિયન્ટ ERIS? WHO ચેતવણી