શ્રીનગરના ચાનપોરા વિસ્તારમાં આતંકીઓએ પોલીસ ટીમને નિશાન બનાવીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળો અને આતંકીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં એક આતંકવાદીને મારવામાં સફળતા મળી છે. જોકે, આતંકવાદીને ઠાર કરવા અંગે પોલીસ કે સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
કલમ 370 નાબૂદ અને રાજ્યમાં વિકાસના કામોને કારણે આતંકવાદીઓ ગુસ્સે ભરાયા છે. પાકિસ્તાનમાં બેસીને તેમના આકાઓના કહેવાથી શાંતિમાં ખલેલ પહોંચાડવાના નાપાક પ્રયાસો કરી રહ્યા છે. આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓએ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.
DGP દિલબાગ સિંહનું કહેવું છે કે આતંકવાદીઓ નથી ઈચ્છતા કે ઘાટીના લોકો અને તેમના બાળકો આગળ વધે. આતંકવાદીઓના આ ષડયંત્રનો માત્ર પોલીસ જ નહીં પરંતુ અન્ય સુરક્ષા એજન્સીઓ વધુ સારા સંકલન સાથે યોગ્ય જવાબ આપશે. આ સાથે, આતંકવાદીઓને જવાબ આપવામાં આવશે.