- સુરત સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ
- ટ્રેનની પેન્ટ્રી બોગીમાં લાગી આગ
- નંદુબારથી ગાંધીધામ જતી ટ્રેનમાં આગ
- ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે
- આગને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરત સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી. સ્ટેશન પહોંચે તે પહેલા જ ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. આગને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.
આ પણ વાંચો :દાણીલીમડામાં 5 વર્ષના બાળકની હત્યા, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ
આ આગમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અચાનક લાગેલી આ આગના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો છે. રેલ્વે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળીને આગ લાગી હતી.
સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર વ્યવહાર ખોરવાયો હતો. પેસેન્જર થી ભરેલી ટ્રેન હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઈ જાનહાની નથી નોધાઈ.હાલ રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળીને આગ લાગી હતી.
આ પણ વાંચો :શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આપઘાત, જવાને માથામાં ગોળી મારી કર્યું મોતને વ્હાલું
આ પણ વાંચો :પાટડી નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનેલી ટાંકી અને સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા, જયારે 30ના મોત થયા
આ પણ વાંચો :ગુજરાત હાઈકોર્ટે આંતરધર્મ દંપતીને આપી રાહત