પુર્નમેળાપ થાય એવો જ કિસ્સો કુંભમેળામાં જોવા મળ્યો છે
સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં એવું જેવા મળે છે કે મેળામાં ખોવાઇ જાય અને લાંબા સમય પછી પુર્નમેળાપ થાય એવો જ કિસ્સો કુંભમેળામાં જોવા મળ્યો છે.
એક મહિલા 2016માં કુંભમેળામાં ખોવાઇ ગઇ હતી તે પાંચ વર્ષે કુંભમેળામાંથી જ પરત મળી આવતાં હિન્દી ફિલ્મો જેવો કલાઇમેકસ જોવા મળ્યો.
તેમના પરિવારે પાંચ વર્ષ સુધી તેમની રાહ જોવી પડી
ઉત્તરપ્રદેશનાં એક વૃદ્વ મહિલા કૃષ્ણાદેવી 2016ના કુંભમેળામાં ખોવાઇ ગયાં હતા તેમના પરિવારે પાંચ વર્ષ સુધી તેમની રાહ જોવી પડી. હાલમાં હરિદ્વારના મહાકુંભમેળામાં કૃષ્ણાદેવીનો તેમના પરિવાર સાથે મેળાપ થયો.
કમરકસી હતી પરતું એ સમયે નિરાસા સાંપડી
ગત 2016ના અર્ધ-કુંભમેળામાં કૃષ્ણાદેવી ખોવાઇ ગયાં હતાં તેમની શોધખોળ માટે પરિવારે કમરકસી હતી પરતું એ સમયે નિરાસા સાંપડી.
પત્ની ખોવાયા છે તેની જાહેરાત ન્યુઝપેપર અને ટેલિવિઝન પર આપવામાં હતી
કૃષ્ણાના પતિ જવાલાપ્રસાદે તેમના ગુમ થયાંની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી હતી. તેમની પત્ની ખોવાયા છે તેની જાહેરાત ન્યુઝપેપર અને ટેલિવિઝન પર આપવામાં આવી હતી. તે છંતાપણ કોઇ જાણકારી તેનવા વીશે કોઇ જ જાણકારી હાથના લાગી.
કૃષ્ણદેવીનો પરિવાર તેમને શેલ્ટર હોમમાંથી લઇ ગયાં હતા
કૃષ્ણાદેવી પરિવારથી વિખૂટા પડ્યાં પછી ત્રિવેણી ઘાટ શેલ્ટર હોમમાં રહેતાં હતાં તેમનો પરિવાર તેમને સતત શોધતાં હતાં આ વખતના કુંભમેળામાં હરિદ્વારની પોલીસના પ્રયાસથી તેઓ મળી આવ્યાં હતાં. કૃષ્ણદેવીનો પરિવાર તેમને શેલ્ટર હોમમાંથી લઇ ગયાં હતા. તેઓ મળી જતાં પરિવારમાં હર્ષોઉલ્લાસની લાગણી જોવા મળી હતી.