સાબરમતી વિસ્તારમાં બે સંતાનોની સાથે રહેતી એક પરણિત યુવતીને તેનો પતિ સંજય રાઠોડ હેરાન પરેશાન કરતો હતો. તેમજ મારપીટ કરીને પોતાની પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને પત્નીએ પોતાના પતિની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને બંને વચ્ચેનો વિવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સરકારી વકીલ એસ ડી ભાવસાર અને સંદીપ ગૌતમ ની તરફથી કોર્ટમાં દલીલો થઈ હતી.સાથે જ કેસને લાગતા કેટલાક મહત્વના પુરાવા પણ કોર્ટની સમક્ષ રજુ કરાયા હતા. જેને મીરજાપુર ગ્રામ્ય કોર્ટના જજ પલક બેન પટેલએ માન્ય રાખ્યા હતા.અને આરોપી સંજય રાઠોડને કેસમાં દોષિત માનીને 1 વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Not Set/ પત્ની પર ત્રાસ ગુજારવાના કેસમાં પતિને કોર્ટે ફટકારી એક વર્ષની સજા
સાબરમતી વિસ્તારમાં બે સંતાનોની સાથે રહેતી એક પરણિત યુવતીને તેનો પતિ સંજય રાઠોડ હેરાન પરેશાન કરતો હતો. તેમજ મારપીટ કરીને પોતાની પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને પત્નીએ પોતાના પતિની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને બંને વચ્ચેનો વિવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સરકારી વકીલ એસ ડી ભાવસાર અને સંદીપ ગૌતમ […]