નાગરિકતા સુધારો કાયદાની ચર્ચા દેશનાં ખૂણે ખૂણે થઈ રહી છે. લોકો બે પક્ષમાં વહેંચાયા છે. એક પક્ષ આ કાયદાનાં સમર્થનમાં છે અને બીજો પક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. સીએએ ને લઇને નોબલ વિજેતા અભિજીત બેનર્જી એ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને કેન્દ્ર સરકારને એક સવાલ પુછ્યો છે. અભિજીત બેનર્જીએ કહ્યું છે કે, ભારતમાં દબાયેલા લોકો પ્રત્યે ઉદારતા બતાવવાનો એક લાંબો ઇતિહાસ છે, પરંતુ તે કોઈ સમુદાયની વિરુદ્ધ ન હોવો જોઈએ.
તેમણે કહ્યું કે, નવા કાયદા મુજબ 31 ડિસેમ્બર, 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. મુસલમાનોને આ કાયદામાં બાકાત રાખવામાં આવ્યા છે અને લાગુ કરાયેલા એનઆરસી અને એનપીઆરએ સમગ્ર ભારતમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શિત કર્યો છે.
તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, મુસલમાનોને આ કાયદા હેઠળ નાગરિકત્વ આપવાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ લોકો મોટાભાગે ગરીબ છે. આ લોકો લઘુમતીમાં છે. અભિજિત બેનર્જીએ કહ્યું કે હું જોઈ શકતો નથી કે આપણે તેમના પ્રત્યે ઉદાર કેમ ન થવું જોઈએ. હું આ સિદ્ધાંતો સમજી શકતો નથી કે કેમ મોટા ભાગનાં ધનિક અને શિક્ષિત લોકો તેમની તરફ ઉદાર નથી.
વળી, તેમણે કહ્યું હતું કે ભારતનો ઈતિહાસ રહ્યો છે કે બહારનાં લોકો પ્રત્યે ઉદારતા બતાવવાનો, પરંતુ કોઈ ખાસ ધર્મની વિરુદ્ધ તેને રાખવું મારી સમજની બહાર છે. તેમણે કહ્યું કે અમેરિકાની જેમ ભારતમાં પણ લઘુમતીઓ ક્યાંય પણ વર્ચસ્વ ધરાવવાની સ્થિતિમાં નથી, તેથી જે લોકો એવું માને છે કે મુસ્લિમો ભારતનો કબજો કરશે તે પાયાવિહોણી વાત છે.
તેમણે કહ્યું કે, હિન્દુ પરંપરા દરેકનું સ્વાગત કરવાનું શીખવે છે. તેમણે કહ્યું કે, જો આ કાયદાઓ બિન મુસ્લિમોને નાગરિકત્વ આપવા માટે છે, ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવવા માટે નથી, તો પછી સરકાર અહમદીયા, શિયા અને રોહિંગ્યાને કેમ મદદ કરતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.