આજે 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ABVP દ્વારા અનોખી રીતે 73માં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં 273 ફૂટના તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી મુખ્ય માર્ગો પરથી આ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
આજે 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ABVP દ્વારા અનોખી રીતે 73માં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં 273 ફૂટના તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 273 ફૂટના વિક્રમજનક તિરંગા સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ABVPના આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.
સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી મુખ્ય માર્ગો પરથી આ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર જોડાયેલા યુવાનોએ દેશ પ્રેમના રંગમાં રંગાઈ સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર ખાતે ABVP દ્વારા અનોખી રીતે 73માં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં 273 ફૂટના તિરંગા યાત્રા કાઢવામાં આવતા આ યાત્રા સુરેન્દ્રનગર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુરેન્દ્રનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેન્ડલુમ ચોકથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી 273 ફૂટની અનોખી તિરંગા પદ યાત્રાના કાર્યક્રમને સફળ બનાવવા નગર અધ્યક્ષ અનિરુદ્ધભાઇ વનાળીયા અને નગર મંત્રી કેવલ હળવદિયા સહિતના યુનિયને ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
