રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં વધુ ત્રણ અકસ્માતની ઘટના રાજ્યમાં બની હોવાનું સામે આવ્યું છે. અમરેલી, સુરત અને બોટાદમાં અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં અવાય હતા.
અમરેલી
- અમરેલીના નાનીકુંડળ ગામે અકસ્માત
- બે લોડ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત
- અન્ય મુસાફરોને પહોંચી નાની મોટી ઇજાઓ
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડાયા
સુરત
- સુરત કામરેજમાં ટ્રક-મારૂતિ વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં કાર ચાલકનું મોત
- પોલીસએ ગુનો નોંધી તપાસ હાથ ધરી
બોટાદ
- બોટાદ નાની કુંડળ પાસે અકસ્માત
- બે છકડો રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત
- અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…